મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કાલથી સંકલ્પ નવરાત્રિ મહોત્સવ શરૂ: તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કાલથી સંકલ્પ નવરાત્રિ મહોત્સવ શરૂ: તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી

મોરબીમાં છેલ્લા ૧૪ વર્ષથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અર્વાચીન રાસોસ્તવમાં તમામ સમાજની બહેનો ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી છે અને જુદાજુદા વિસ્તારમાંથી બહેનોને પોતાના વાહન મારફતે લઈ આવીને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં લઈ આવવા સુધીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે  

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે છેલ્લા ૧૪ વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. વધુમાં આયોજક દેવેનભાઇ રબારીએ જણાવ્યુ છે કે, અર્વાચીન રાસોત્સવમાં મન મુકીને રાસ ગરબે ઝૂમવાની દરેક બહેનોની ઈચ્છા હોય છે. પરંતુ મોંઘી ટિકિટ હોવાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય બહેનો મોટા અર્વાચીન રાસોત્સવમાં લાભ લઈ શકતા ન હતા. ત્યારે તમામ જ્ઞાતિની બહેનો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુરીક્ષિત અને પારિવારિક માહોલમાં રાસ ગરબે ઝૂમી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે આ ઉપરાંત વિશાળ સ્ટેજ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, તેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળા, પરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત દરરોજ વિજેતા પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે. વધુમાં દેવેનભાઈએ કહ્યું છે કે, ગરબામાં અવનવા સ્ટેપ્સ આવતા હોય છે તે પણ બહેનોને શીખવવા માટેનું આયોજન કર્યું હતું જેનો એક હજાર જેટલા બહેનોએ લાભ લીધો હતો અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ માતાની ભક્તિ સાથે સામાજિક ચેતના જગાવતા જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો કરાશે. તેમજ દર વખતે પહેલા માતાજીની આરતી બાદ ભારત માતાની આરતી કરવામાં આવશે. 






Latest News