મોરબીમાં નવલી નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબીમાં ભક્તિ સાથે ગરબે ઘુમવા માટે બાળાઓ સહિતનાતૈયાર
મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન
SHARE
મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન
મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકાના આપદાધિકારીઓ અને રાજ્ય મંત્રીને આ મુદે રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધી દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને પાકા દબાણને પણ તોડી પાડવામાં આવેલ છે
મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓ અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયાના મંત્રી સુધી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેથી પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ગેરકાયદે કરવામાં આવેલા કાચા અને પાકા બાંધકામોને તોડી પાડયા હતા. અને રસ્તો પહોળો કરવામાં આવેલ છે આ કામ પાલિકાના હિતેશભાઈ રવેશિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહી ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાઈ તેના માટે પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે