મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન


SHARE













મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકાના આપદાધિકારીઓ અને રાજ્ય મંત્રીને આ મુદે રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધી દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને પાકા દબાણને પણ તોડી પાડવામાં આવેલ છે

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓ અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયાના મંત્રી સુધી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેથી પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ગેરકાયદે કરવામાં આવેલા કાચા અને પાકા બાંધકામોને તોડી પાડયા હતા. અને રસ્તો પહોળો કરવામાં આવેલ છે આ કામ પાલિકાના હિતેશભાઈ રવેશિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહી ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાઈ તેના માટે પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે






Latest News