મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન


SHARE













મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકાના આપદાધિકારીઓ અને રાજ્ય મંત્રીને આ મુદે રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધી દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને પાકા દબાણને પણ તોડી પાડવામાં આવેલ છે

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓ અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયાના મંત્રી સુધી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેથી પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ગેરકાયદે કરવામાં આવેલા કાચા અને પાકા બાંધકામોને તોડી પાડયા હતા. અને રસ્તો પહોળો કરવામાં આવેલ છે આ કામ પાલિકાના હિતેશભાઈ રવેશિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહી ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાઈ તેના માટે પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે






Latest News