મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સાથે થોડા સમય પહેલા કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખની લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ થોડા દિવસો પહેલા  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈઅજયભાઈગૌતમભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નં. જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નં. જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી સહિતનાને માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણાપારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા અમિત કુબેર મકવાણા (૩૦) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબી અને ભરત ઉર્ફે જેડી જગદીશ ચૌહાણ (૨૮) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબીની કલમ ૩૨૩૩૦૭૩૯૫ વિગેરે હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.






Latest News