મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE















મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સાથે થોડા સમય પહેલા કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખની લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ થોડા દિવસો પહેલા  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈઅજયભાઈગૌતમભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નં. જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નં. જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી સહિતનાને માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણાપારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા અમિત કુબેર મકવાણા (૩૦) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબી અને ભરત ઉર્ફે જેડી જગદીશ ચૌહાણ (૨૮) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબીની કલમ ૩૨૩૩૦૭૩૯૫ વિગેરે હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.






Latest News