મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE













મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર ચુકવવા માટેની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ૧૫૦ ટકા કરતા પણ વધારે વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વધુ વરસાદ થયો છે જેથી કરીને આ જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને સરકારના મંત્રીઓ તથા મોરબી જિલ્લાના ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ નથી અને અમુક ગામનો સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવી હોય તેવું ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે સર્વેમાં જનાર કર્મચારી અને અધિકારીઓ ફક્ત ઉભા પાકનું જ સર્વે કરે છે તેના બદલે નિષ્ફળ ગયેલ તમામ પાકનો સર્વે કરવામાં આવે તેવી માંગ કરેલ છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, N.D.R.F.  ના મેન્યુલમાં જોગવાઈ છે કે ૧૨૫ ટકા કરતા વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો અને ખેડૂતોને વળતર ચુકવવું અને સર્વેના નાટકો શા માટે ? અને જો સર્વે કરીને જ આગળ વધવાનું હોય તો શું ?  N.D.R.F. કરેલ જોગવાઈઓ ખોટી છે ? સરકારી રેકોર્ડમાં જયરે ૧૫૦ ટકા કરતા વધારે વરસાદ નોંધ્યો છે. તો સરકાર આ નિર્યણ શા માટે નથી લેતી?  સરકારી રેકર્ડના આકડા ઓ ખોટા છે ? સરકારને ખેડૂતોની મુશ્કેલીઓ દેખાતી નથી. અને મોરબી જીલ્લાના ખેતી વિભાગના સરકારી અધિકારી સરકારને પણ ગાઠતા નથી તો આ અધિકારીને કોનું પીઠ બળ છે ? ખેડૂતો આંદોલનના માર્ગે  જાય ?  ભાજપની ભગીનીની સંસ્થા કિશાન સંઘ પણ  આ મામલે કેમ ચુપ છે ?  મોરબીના માજી ધારાસભ્ય તેમજ  હાલના  મંત્રી   પણ કેમ ચુપ છે ? આ બધા પ્રશ્નો છે તેને લઈને સીએમને રજૂઆત કરવામાં આવી છે અને જો લીલા દુષ્કાળ નહીં જાહેર કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સી હિમકી ઉચ્ચારી છે






Latest News