વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા


SHARE













રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા

નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ) રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બુધવારે “માઁ નવરાત્રી” મહોત્સવ, “શક્તિધામ નવરાત્રી” મહોત્સવ, "ઉમિયા નવરાત્રી" મહોત્સવ, “સંકલ્પ નવરાત્રી” મહોત્સવ અને “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની સુપ્રસિદ્ધ ઉમિયા નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી મેરજા દ્વારા માતાજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આયોજક અને અગ્રણી અનીલભાઇ વરમોરાના હસ્તે મંત્રી બ્રીજેશ મેરજાનું સન્માન કરાયુ હતુ.તે ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવની પણ બ્રીજેશભાઇએ મુલાકાત લીધી હતી જેના આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.આ વેળાએ શૈલેષભાઇ રાવલ, શશાંકભાઇ દંગી, દુર્લભજીભાઇ દેથરીયા, હિરાભાઇ ટમારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા વગેરે જોડાયા હતા.બાદમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી બ્રીજેશ મેરજાનું આયોજક અજયભાઇ લોરિયા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહભાગી થયેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આયોજક જયરાજસિંહ જાડેજા તેમજ તેમના ભાઇ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ સુરેશભાઇ સીરોયા, મનુભાઇ બરાસરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News