ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામ ગઢમાં ચા બનાવ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરણીતાનો આપઘાત


SHARE













હળવદના નવા ઘનશ્યામ ગઢમાં ચા બનાવ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરણીતાનો આપઘાત

હળવદના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં પરણીતાને ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આવી જ રીતે હળવદના રાસંગપર રોડ ઉપર આવેલ કંડેશ્વર હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ છાપરામાં ઝેરી દવા પીને પરણીતાએ આપઘાત કરેલ છે જેથી કરીને બંને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ કડીવાલ જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ સુરેશભાઈ નાયકના પત્ની ઉર્મિલાબેન (ઉંમર ૧૮) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક મહિલાના સસરા સુરેશભાઈ ગણપતભાઈ નાયક જાતે આદિવાસી (ઉમર ૩૫) રહે. હાલ નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ પટેલની વાડી વાળા હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ઉર્મિલાબેનને તેના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હળવદ પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે આપઘાતના બીજા બનાવમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખરબડા ગામના રહેવાસી અને હાલમાં હળવદના કંડેશ્વર હનુમાનજી મંદિરે રહેતા મનોજભાઈ રજુભાઈ રાઠવા જાતે આદિવાસીના પત્ની મંજુબેન મનોજભાઈ રાઠવા (ઉંમર ૫૦) એ કોઈ કારણોસર રહેણાંક છાપરામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News