ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE













 

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો ત્યારે સાંજના સમયે તેને લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર ઢુવા ચોકડીથી આગળના ભાગમાં આવેલ બોંઝા સીરામીકમાં રહેતા ભગવાનભાઈ બાબુલાલ રાજપુત (ઉંમર ૩૦) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને કોઈ કારણોસર લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને ભગવાનભાઈ રાજપૂતને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ અમૃત અને સાગર હોસ્પિટલની વચ્ચેના ભાગમાં બે બાઈક અથડાયા હતા જેથી કરીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપર રહેતા પરેશભાઈ કાનાભાઈ સથવારા (ઉંમર ૨૫)ને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે એસટી બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મનસુખભાઈ તેજાભાઈ પરમાર (ઉંમર ૪૫) રહે. આદરણા ગામ વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News