ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું


SHARE













મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા આર.બી.વ્યાસ વયમર્યાદાના લીધે સેવાનિવૃત થતા તેમને તાલુકા પીઆઇ તેમજ જિલ્લા પોલીસવડા દ્વારા નિવૃત્તિ વિદાયમા આપવામાં આવ્યું હતું.તેમજ તેઓ હાલ જ્યાં રહે છે તે રાજનગર સોસાયટીની ગરબી ખાતે પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મૂળ મોરબીના ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટી વિસ્તારમાં રહેતા આર.બી.વ્યાસ કે જેઓ તા.૧૧-૧૦-૧૯૮૪ ના રોજ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસમાં જોડાયા હતા અને ગત તા.૩૦-૯-૨૦૨૨ ના ૩૭ વર્ષની નોકરી પૂરી કરીને સેવા નિવૃત્ત થયા હતા.તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન અમરેલી, કોડીનાર અને ખાસ કરીને સૌથી વધુ ૨૦ વર્ષ જેવો સમય રાજુલાના આઉટ પોસ્ટ એવા ડુંગરપુર પોલીસ સ્ટેશન ખાતે વિતાવ્યો હતો. તેમજ ધારી, જાફરાબાદ, ખાંભા અને છેલ્લા સાત વર્ષથી મોરબીમા હતા જેમાં મોરબી સિટી એ ડિવિઝન તેમજ છેલ્લે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેઓ તા.૩૦-૯ ના નિવૃત્ત થયા હતા.જ્યાં તાલુકા પોલીસ મથકના નવા નિમાયેલા પીઆઇ કે.એ.વાળા દ્વારા શ્રીફળ પડો આપીને તેઓને નિવૃત્તિ વિદાયમાન અપાયુ હતુ. તેમજ જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી દ્વારા અને તેઓ જ્યાં રહે છે તે રાજનગર વિસ્તારમાં યોજાતી ગરબીમાં પણ તેઓને સન્માનિત કરીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી અને નિવૃત્ત જીવનમાં તેઓને સુખમય અને આરોગ્યમય બની રહે તેવી સાથી પોલીસમિત્રો સહીતના સૌ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News