મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ મોલ સામે યુવાને તેની સીએનજી રીક્ષા પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરીને તેને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે તેવું જાણવા મળેલ છે

મોરબીના કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઇ પલેજા જાતે સંધિ (૪૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તા.૨૮ ના સાંજના સાત થી સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓએ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલી રિજન્સી મોલ સામે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૮૬ ને પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાને કોઈ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો પોલીસે ભેદ ઉકેલીને નાખ્યો છે આ ગુનામાં મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા બાળ કિશોરને ડિટેઇન કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ કરીને પોલીસે હાલમાં તે બાળકને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે

દાજી જતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે.કંપનીની પાછળ રહેતો અજય ઉદયભાઇ નાયક નામનો ૩૨ વર્ષનો યુવાન દાઝી ગયેલ હોય તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શનાળા રોડ ઉપર મહેશ હોટલની સામે રંગોલી ખમણમાં ગેસ લીકેજ થવાના કારણે લાગેલ આગમાં દાઝી જતા અજયને સારવાર માટે ખસેડાયો હતો એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં હરીપર ગામ નજીક આવેલ દેવ સોલ્ટમાં કામ કરી ત્યાં રહેતો અક્ષય ખૂંટીભાઈ રાવત નામના ૨૨ વર્ષીય યુવાનને કામ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા રૂક્ષ્મણીબેન ખુશાલભાઈ તડવી નામના ૩૫ વર્ષીય મહિલા પીઠડ ગામે અનુભાઈની વાડીએ કામ કરતા હતા ત્યારે તેમને કામ દરમિયાન ઝેરી સાપ કરડી જવાથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા જમીલાબેન મહેબુબભાઇ છીપા નામની ૪૬ વર્ષની મહિલા શહેરના રવાપર રોડ ઉપર એવન્યુપાર્ક અને નીલકંઠ વિદ્યાલય વચ્ચેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાગ્રસ્ત જમીલાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજની પાછળ વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન ડાયાભાઈ પરમાર (૭૫) અને નિશિથ જગદીશભાઈ પરમાર (૨૪) ને તેમના રહેણાંક વિસ્તાર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બંનેને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News