વાંકાનેરમાં રહેતી પરિણીતા પાસેથી અજાણ્યો મોબાઈલ ફોન મળી આવતા પરિવારે ઠપકો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE
વાંકાનેરમાં રહેતી પરિણીતા પાસેથી અજાણ્યો મોબાઈલ ફોન મળી આવતા પરિવારે ઠપકો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતી પરણીતા પાસેથી અજાણ્યો મોબાઇલ મળી આવ્યો હતો જેથી કરીને તે મોબાઈલ બાબતે તેને પૂછતા અને તે મોબાઈલનો લોક ખોલી આપવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી તેને ઠપકો આપતા પરિણીતાને લાગી આવ્યું હતું જેથી કરીને તેને ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં ડો. મિતુલ પટેલના દવાખાના વાળી શેરીમાં રહેતા નિલેશભાઈ માંડણભાઈ મુંધવાના પત્ની અંજુબેન નિલેશભાઈ મુંધવા (૨૧)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તેમાં એવી વિગત સામે આવી હતી કે પરણીતા પાસેથી એક અજાણ્યો મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને આ મોબાઈલ ફોન કોનો છે ? તે બાબતે તેને પૂછવામાં આવતા અને મોબાઈલ ફોનનો લોક ખોલવાનું કહેતા તેણે લોક ખોલી આપ્યો ન હતો અને યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી કરીને પરણીતાને ઠપકો આપવામાં આવ્યો હતો તે બાબતે તેને લાગી આવતા તેણે જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો પાંચ માસનો છે અને સાસુ સસરા સાથે જ રહે છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી