ધક્કાવાળી મેલડી મંદિરે ગરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા ચાંદીના બ્રેસલેટ અપાયા
મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે
SHARE
મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે
મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ લોકોને પેટ પકડાવીને હસાવવા માટેની નાટક પણ યોજાશે
મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૮ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે “રાજા ભરથરી” ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. જેમાં ભાંભણ ગામના જય મહાકાળી ભવાઇ મંડળના કલાકારો નાટક રજૂ કરશે ત્યારે સંતો મહંતો, ઉદ્યોગકારો અને ગ્રામજનોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ તકે લોકોને પેટ પકડાવીને હસાવશે માટે ટિહલો ગગુડીયો નાટક પણ રાખવામા આવ્યું છે