વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
મોરબી જૂના બસ સ્ટેશને રિજર્વેશન બારી શરૂ કરવાની માંગ
SHARE
મોરબી જૂના બસ સ્ટેશને રિજર્વેશન બારી શરૂ કરવાની માંગ
મોરબી જૂના બસ સ્ટેશને ગ્રામ્ય વિસ્તાર તેમજ લાંબા રૂટની બસો આવતી હોય છે તેમજ છતાં પણ રિજર્વેશનની બારી બંધ છે જેથી કરીને આ બારીને તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લો ઘણા સમયથી બની ગયેલ છે પરંતુ એસટી, રેલ્વે અને અન્ય વિભગ લોકોને સારી સેવા આપવામાં પાછા પડેલ છે મોરબીના જૂના એસટી ડેપોમાં ઘણા સમયથી રિજર્વેશન બારી બંધ છે જે સત્વરે ચાલુ કરવી જોઈએ કેમ કે, બસમાં મુસાફર જનતા મોંઘાદાર ભાડા ખર્ચીને નવા બસ સ્ટેન્ડ રિજર્વેશન કરવા માટે જવું પડે છે અને જૂના બસ સ્ટેશને કંટ્રોલ પોઈન્ટ પણ ચાલુ છે તેની સાથે જો રિઝર્વેશના માટેની સુવિધા શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે અને મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં લોકોના માથાફાડી નાખે તેવી ગંદકી કરવામાં આવે છે તેને પણ દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીમાં રહેતા પી.પી. જોશી દ્વારા વહેલમાં વહેલી તકે આ પ્રશ્ન ઉકેલવા માટે લોકો વતી એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે