રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો
મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિકદબાણ કરનાર મુંજાવરની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિકદબાણ કરનાર મુંજાવરની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે દરગાહના મુંજાવર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન આરોપીની પોલીસે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરેલ છે
મોરબીમાં છેલ્લા વર્ષોમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલ સિંગાળા (હિંદુસ્તાની), વિહિપના કમલભાઇ દવે અને કમલેશ બોરિચા સહિતના આગેવાનો સહિતના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેથી કરીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત ૨૬/૯ ના રોજ મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા હેરીટેઝ સ્મારક મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મુંજાવર હાશમશા જાફરશા ફકીર જાતે મુસ્લિમ (૬૦) રહે, ભરવાડ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે