મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા લતીપર ચોકડીએ આંબેડકર હોલમાં બામસેફ, ડીએસફોર, બીવીએફ અને બીએસપીના સંસ્થાપક કાંસિરામની ૧૬માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ હિતેચ્છુ, બસપા કાર્યકરો, ભીમ અનુયાયીઓ, ભાઈઓ, બહેનો, વડીલો અને મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તાલુકા, જિલ્લા અને પ્રદેશમાંથી આવેલા આગેવાનોએ કાંસીરામના ત્યાગ અને બલિદાનને યાદ કરી બહુજન સમાજ પાર્ટીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના તાલુકા અને જિલ્લાના નવા હોદેદારોની નિમણુક કરી હતી તેવું બસપા સમર્થક હેમંતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યુ છે









