મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે સામસામી મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE















મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે સામસામી મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં જાહેરમાં રસ્તા ઉપર એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હોવાથી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા મેઇન રોડ પર બાલમંદિર પાસે રહેતા કેશાભાઈ અમરાભાઇ સોલંકી (૬૨)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ, તુષાર દીપકભાઈ ચૌહાણ, પ્રથમ દીપકભાઈ ચૌહાણ, જીગુભાઈ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ, મયુર પરસોત્તમભાઈ ચૌહાણ અને મીનાબેન પરસોતમભાઈ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓના પત્ની શેરીમાં એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેનને સારું નહીં લાગતા તેણે ફરિયાદી કેશુભાઈના પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મીનાબેન અને તેના કૌટુંબીક ભાઈઓ દ્વારા ફરિયાદીની પત્ની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લાકડાના ધોકા અને એલ્યુમિનિયમની પટ્ટી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ તેના પત્નીને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

તો સામા પક્ષેથી કાંતાબેન પરસોત્તમભાઈ ચૌહાણ (૫૦) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેશુભાઈ ઉર્ફે કારું અમરાભાઇ સોલંકી, સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકી, વિનોદભાઈ અમરાભાઇ સોલંકી, મુકેશભાઈ વિનોદભાઈ સોલંકી, પુષ્પાબેન કેશુભાઈ સોલંકી અને અભિલાષાબેન તુલસીભાઈ સોલંકી રહે. બધા રોહીદાસપરા વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાડ નાખતા હતા જેથી કરીને એઠવાડ નાખવાની ના પાડતા તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તેમજ તેઓના જેઠના દીકરા અને દીકરી સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારબાદ છૂટા પથ્થરના ઘા કરીને અને ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેમાં કેશુભાઈ સોલંકીએ પાઇપ વડે તેમજ મુકેશભાઈ સોલંકીએ હાથમાં તલવાર લઈને હુમલો કર્યો હતો અને અન્ય આરોપીઓએ પથ્થરના છુટા ઘા કરીને ઇજાઓ કરી હતી. જેથી પોલીસે મારામારીના બનાવવામાં સામસામી ફરિયાદ લઈ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

 






Latest News