વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત
મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર મુંજાવરના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર મુંજાવરના રિમાન્ડ મંજૂર
મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે દરગાહના મુંજાવરની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતી તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે મુંજાવર હાશમશા જાફરશા ફકીર જાતે મુસ્લિમ (૬૦) રહે, ભરવાડ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જેથી કરીને કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા