મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે


SHARE











E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ અમલમાં છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “E – COOPERATIVE PORTAL  લોન્‍ચ કરવામાં આવેલ છે.

જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યુ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઈન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી-મોરબી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી સંઘ લિ. રાજકોટના સહયોગથી તા.૧૭/૧૦ ના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમિયાન “સહકાર ત્રિવેણી”, શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી., ૨૯/૩૮, કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન ગોઠવવામાં આવેલ છે. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ હેઠળ નોંધાયેલ મોરબી જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓએ હાજર રહેવાનું રહેશે. તેમજ હવે પછીથી નાણાં ધિરધાર કરનારાઓએ દર માસે રજુ કરવામાં આવતાં ધિરાણને લગતાં પત્રકો માત્ર ONLINE જ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.






Latest News