ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે


SHARE













E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ અમલમાં છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “E – COOPERATIVE PORTAL  લોન્‍ચ કરવામાં આવેલ છે.

જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યુ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઈન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી-મોરબી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી સંઘ લિ. રાજકોટના સહયોગથી તા.૧૭/૧૦ ના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમિયાન “સહકાર ત્રિવેણી”, શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી., ૨૯/૩૮, કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન ગોઠવવામાં આવેલ છે. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ હેઠળ નોંધાયેલ મોરબી જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓએ હાજર રહેવાનું રહેશે. તેમજ હવે પછીથી નાણાં ધિરધાર કરનારાઓએ દર માસે રજુ કરવામાં આવતાં ધિરાણને લગતાં પત્રકો માત્ર ONLINE જ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.






Latest News