ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબીના ગૌસેવાના કામ માટે લોકો છૂટા હાથે હંમેશા દાન આપે છે ત્યારે મોરબીની પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનું અને લોક ડાયરાનું રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે 

મોરબીના યુવા ઉદ્યોગપતિ સાવજીભાઇ બારૈયાના જન્મ દિવસ નિમિતે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૧૯ ઓક્ટોબરને બુધવારે મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. જેથી કરીને ગૌસેવાના લાભાર્થે યોજાનાર સંતવાણી અને લોક ડાયરામાં લોકોને સહયોગ આપવા માટે અને કાર્યક્રમને માણવા માટે આવવા મોરબીવાસીઓને સવજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ) અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.






Latest News