મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં ઉદ્યોગકારના જન્મ દિને પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
મોરબીના ગૌસેવાના કામ માટે લોકો છૂટા હાથે હંમેશા દાન આપે છે ત્યારે મોરબીની પાંજરાપોળના લાભાર્થે સંતવાણીનું અને લોક ડાયરાનું રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના યુવા ઉદ્યોગપતિ સાવજીભાઇ બારૈયાના જન્મ દિવસ નિમિતે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૧૯ ઓક્ટોબરને બુધવારે મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. જેથી કરીને ગૌસેવાના લાભાર્થે યોજાનાર સંતવાણી અને લોક ડાયરામાં લોકોને સહયોગ આપવા માટે અને કાર્યક્રમને માણવા માટે આવવા મોરબીવાસીઓને સવજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા (ગણેશ મંડપ) અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.