ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણા


SHARE













ટંકારા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેને ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા વધુ ૧૨ બેઠક ઉપરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળે તેમ છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ જે રીતે મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કાઠું કાઢ્યું છે તે જોતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ દરેક વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણીના જંગમાં ઝંપલાવે તેવું દેખાઈ રહ્યું છે દરમિયાન ક્રમશઃ આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે અને આ આજે વધુ ૧૨ ઉમેદવારના આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠકના આમ આદિ પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

હાલમાં સંજયભાઈ ભટાસણા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને વિધાન સભાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ મૂળ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રહેવાસી છે તેમણે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સામાજિક કાર્યકર તરીકે પણ સમાજના જુદા જુદા કાર્યોમાં તેઓ સહયોગ આપતા હોય છે અને હાલમાં જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા બેઠક ઉપરથી તેઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચોમેરથી તેના નં. ૯૮૭૯૬ ૧૧૬૭૨ ઉપર શુભકામનાઓ વરસી રહી છે






Latest News