મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા


SHARE









મોરબીના શનાળા ગામે સોમવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શનાળા ગામે આવેલ લીમડાવાળા મેલડી મંદિરના પાછળ ઉમિયાનગર સોસાયટીમાં શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા સોમવારના રોજ શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવે લ્ચે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના શનાળા ગામે તા. ૧૭ ને સોમવારે સવારે ૯ વાગ્યે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ વાગ્યે ઉમિયાનગર શનાળા ખાતે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાંદલિયા વાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી, શ્રી લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી અને શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટનિમંત્રણ આપ્યું છે

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા

વર્તમાન સમયમાં ઘણી વખત દીકરીને સાપનો ભારો સમજીને તરછોડી દેવામાં આવે તે સહિતના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે ત્યારે કેટલાક પરિવારો દ્વારા દીકરાના જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીના શકત શનાળા ગામના રહેવાસી રબારી જયેશભાઈ કાનાભાઈ કરોતરાએ તેના ઘરે દીકરીનો જન્મ થતાં આતિશબાજી કરીને દીકરીના જન્મને વધાવ્યો હતો ગત તા. ૧૧ ના રોજ જયેશભાઈ અને દક્ષાબેનના ઘરે દીકરી રૂપે લક્ષ્મીજીનું અવતરણ થયું છે ત્યારે કરોતરા પરિવારે દીકરીના જન્મને ઉજવણી કરીને વધાવ્યો છે






Latest News