મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


SHARE















મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના વડીલ એવા મગનભાઈ સંઘાણીનું અવસાન થતાં મૃત્યુનો શોક મનાવવાના બદલે સ્મશાન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને મૃત્યુના અસરને પણ ઉત્સવમાં પલટી દેવામાં આવ્યો હતો.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે જનકનગર વિસ્તારમાં રહેતા સંઘાણી પરિવારના મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.જેથી તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના પરિવાર દ્વારા પિતાના અવસાનમાં શોક મનાવવાના બદલે પરિવારની લીલી વાડી જોઈને ગયેલા વડીલની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંઘાણી પરિવાર તેમજ તેઓના સગા સંબંધીઓ દ્વારા અવસાન પામેલા મગનભાઈ સંઘાણીને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે સ્મશાન યાત્રા દરમિયાન કોઈએ રડવાનું નથી કે શોક મનાવવાનો નથી.તેથી હરી કીર્તન તેમજ ૐ નમ:શિવાયના જાપ સાથે મગનભાઈ સંઘાણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.






Latest News