મોરબી જિલ્લાના સજનપર-ધુનડા ગામ પાસે ખનીજ ચોરી રોકવા ગામના લોકોની માંગ
મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય
SHARE
મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય
મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના વડીલ એવા મગનભાઈ સંઘાણીનું અવસાન થતાં મૃત્યુનો શોક મનાવવાના બદલે સ્મશાન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને મૃત્યુના અસરને પણ ઉત્સવમાં પલટી દેવામાં આવ્યો હતો.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે જનકનગર વિસ્તારમાં રહેતા સંઘાણી પરિવારના મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.જેથી તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના પરિવાર દ્વારા પિતાના અવસાનમાં શોક મનાવવાના બદલે પરિવારની લીલી વાડી જોઈને ગયેલા વડીલની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંઘાણી પરિવાર તેમજ તેઓના સગા સંબંધીઓ દ્વારા અવસાન પામેલા મગનભાઈ સંઘાણીને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે સ્મશાન યાત્રા દરમિયાન કોઈએ રડવાનું નથી કે શોક મનાવવાનો નથી.તેથી હરી કીર્તન તેમજ ૐ નમ:શિવાયના જાપ સાથે મગનભાઈ સંઘાણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.