મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું


SHARE









મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું

મોરબીના માધાપરા સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતવારા સમાજ નિર્મિત અને સતવારા સમાજ દ્વારા જ સંચાલિત સોનારુરી સ્મશાનગૃહ ખાતે કાળી ચૌદસના દિવસે ત્યાંના સંચાલકો દ્વારા તેમજ બહુચર ગ્રુપ અને મહાકાલ ગૃપ દ્વારા ભજીયા પ્રોગ્રામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમ કરીને કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ન જવાય તેવા પ્રકારની જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા કાળી ચૌદસના દિવસે સ્મશાન ખાતે ભજીયા બનાવીને ત્યાં ગ્રુપ દ્વારા ભજીયા આરોગવામાં આવ્યા હતા અને સમાજમાં પ્રવર્તી રહેલ ગેર માન્યતાઓને જાણકાર આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સોનાપુરી સ્મશાન સમિતિના પ્રમુખ તેમજ પાલીકાના ચેરમેન હર્ષદભાઈ કણજારીયા, લાલજીભાઈ પરમાર (કાઉન્સિલર), મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ પરમાર,.બહુચર ગ્રુપના પ્રમુખ રમેશભાઈ કંજારીયા તેમજ સોનાપુરી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ રાજુભાઈ કનજારિયા મોતીભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.






Latest News