મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું
SHARE
મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું
મોરબીના માધાપરા સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતવારા સમાજ નિર્મિત અને સતવારા સમાજ દ્વારા જ સંચાલિત સોનારુરી સ્મશાનગૃહ ખાતે કાળી ચૌદસના દિવસે ત્યાંના સંચાલકો દ્વારા તેમજ બહુચર ગ્રુપ અને મહાકાલ ગૃપ દ્વારા ભજીયા પ્રોગ્રામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમ કરીને કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ન જવાય તેવા પ્રકારની જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા કાળી ચૌદસના દિવસે સ્મશાન ખાતે ભજીયા બનાવીને ત્યાં ગ્રુપ દ્વારા ભજીયા આરોગવામાં આવ્યા હતા અને સમાજમાં પ્રવર્તી રહેલ ગેર માન્યતાઓને જાણકાર આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સોનાપુરી સ્મશાન સમિતિના પ્રમુખ તેમજ પાલીકાના ચેરમેન હર્ષદભાઈ કણજારીયા, લાલજીભાઈ પરમાર (કાઉન્સિલર), મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ પરમાર,.બહુચર ગ્રુપના પ્રમુખ રમેશભાઈ કંજારીયા તેમજ સોનાપુરી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ રાજુભાઈ કનજારિયા મોતીભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.