મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ખાનગી બસ-છોટાહાથી વચ્ચે અકસ્માતઃ બેના મોત, સાતને ઇજા


SHARE











માળિયા કચ્છ ઉપર આવેલ હરીપર ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે અને અંદાજે સાત વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા મુસાફરો પૈકી બે મહિલાના મોત નિપજ્યા છે અને સાતેક વ્યક્તિઓને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છના કબરાઉ મોગલ ધામ દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે આ અકસ્માતમાં બનાવવામાં ઇજા પામેલ પ્રકાશભાઈ જયંતીભાઈ મજેઠીયા પાસેથી જાણવા મળતી વધુ વિગત પ્રમાણે તેઓ પોતાના મિત્ર સાથે કબરાઉ ધામ કચ્છમાં દર્શન કરવા માટે જતા હતા અને તે છોટાહાથી માં પાછળ ઠાઠાના ભાગે સુતા હતા દરમિયાન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બે મહિલાના મોત નિપજ્યા છે

કોના મોત નિપજ્યા ?

ચંદાબેન વિપુલભાઈ (30) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (70 ) રહે. બન્ને પીઠડીયા

કોને ઇજાઓ થઇ ? .

પ્રકાશભાઇ મજેઠીયા, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા, માહિબેન વિપુલભાઈ, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા, દીપકભાઇ, વિપુલભાઈ ગોંડલીય અને નાથીબેન દેવરાજભાઈ

 

 






Latest News