મોરબીના ગાંધી ચોક પાસે મોબાઇલની દુકાનમાંથી ૫૫૦૦૦ ની કિંમતના આઇફોનની ચોરી
માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ
SHARE
માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ
માળીયા મીયાણાના હરિપર ગામની ગોળાઈ પાસે ગઈકાલે અશોક લેલન ટેમ્પો ખાનગી બસ સાથે અથડાતા ત્રણ મહિલાઓ સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના પીઠડીયા ગામના રહેવાસી હસમુખભાઈ દામજીભાઈ ગોંડલીયા (૫૨) એ ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર એ.આર. ૧ ટી ૮૨૯૮ ના ચાલક ગોગારામ ભવારારામ ઝાખડ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીથી કચ્છ તરફ જતા રસ્તા ઉપર આવતા હરીપર ગામની ગોળાઇ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય રોડની એક સાઇડ બંધ હતી અને એક જ સાઈડમાં સામસામા વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ બસ બેફિકરાઈથી અને સ્પીડમાં ચલાવીને અશોક લેલન ટેમ્પો નંબર જીજે ૧૪ ડબલ્યુ ૫૫૧૬ સાથે અથડાવી હતી જેથી કરીને અશોક લેલન ટેમ્પો બેઠેલા વ્યક્તિઓમાંથી ચંદાબેન વિપુલભાઈ ગોંડલીયા, શારદાબેન ઉર્ફે ઝીણીબેન છગનભાઈ ગોંડલીયા, નાથીબેન દેવરાજભાઈ અને દીપકભાઈ મનુભાઈ જીંજવાડીયાના મોત નીપજ્યા હતા અને અન્ય છ વ્યક્તિઓને ઈજા થયો હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં હસમુખભાઈ ગોંડલીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે