ગુજરાતનાં લોકોનો જનમત લઈને આમ આદમી પાર્ટી જાહેર કરશે સીએમ પદના ઉમેદવાર: ઈશુદાન ગઢવી
મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા
SHARE
મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તા. ૩૧ ઓક્ટોબરની દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસના" શપથ લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે મોરબી જિલ્લામાં પણ કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને તેમજ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા "એકતા શપથ" લેવામાં આવ્યા હતા.