મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ


SHARE













હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ.

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી હતી અને આજે ૧૪ દિવસ જેટલો સમય થઈ ગયો છે. તો પણ હજુ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે  હાઈકોર્ટે કરેલ સુઓમોટોમાં ૧૦ દિવસમાં સરકારે આ ઘટનામાં શું પગલાં લીધા તેનો રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે અને આગમી સોમવાર તારીખ ૧૪ મી નવેમ્બરે તેની સુનાવણી છે જેથી કરીને ત્યારે નવાજૂની થાય તેવી શક્યતા દેખાઈ રહી છે


મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે હોનારતમાં ૫૦ જેટલા બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અગાઉ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો દાખલ કરી હતી અને સરકારને નોટિસ આપીને કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો

મોરબીમાં ઝૂલતો પુલ તા ૩૦ ને રવિવારની સાંજે ધરાશાયી થયાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મોરબી આવ્યા હતા અને મોરબીમાં પુલા હોનારતના ઇજાગ્રસ્તો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા જો કે, આજની તારીખે પણ આ ઘટનામાં હજુ પણ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે સોમવારે હાઇકોર્ટમાં નવા જૂની થાય તેવી શ્કયતા છે






Latest News