મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: એક સારવારમાં


SHARE











મોરબીની લખધીરપુર ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: એક સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી પાસે આવેલ હોટલ નજીક સર્વિસ રોડ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી અથડાયું હતું જેથી બાઈક ચાલક યુવાનને મોઢા અને માથા ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને ઈજાગ્રસ્ત યુવાનની હાલમાં મૃતક યુવાનની સામે ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબા મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ મંદિરની બાજુમાં આવેલ વાઈટ પલ નામના માટીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા તુરમ રીંગો કોડા (૨૭) અને તેની સાથે મૂચીરામ રામુ સાંડીલ જાતે આદિવાસી (૧૯) રહે. મૂળ ઝારખંડ હાલ માટેલ રોડ ઉપર અમરધામ મંદિરની બાજુમાં આવેલ વાઈટ પલ નામના માટીના કારખાના વાળા બંને બાઇક નંબર જીજે ૧૩ એએસ ૨૫૮૨ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર ચોકડીથી આગળના ભાગમાં રિજેન્ટા હોટલ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગમાં સર્વિસ રોડ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં તુરમ રીંગો કોડાએ પોતાના હવાલા વાળું બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી કરીને બાઈક ચાલકને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ ફરિયાદી મુચીરામ સાંડીલને ઇજાઓ થયો હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્તે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


મારામારીમાં ઇજા થતા સારવારમા
 

મોરબીના લીલાપર ગામે મેગ્નમ પેપર મિલ પાસે થયેલ મારામારીના બનાવમાં પવનસુત પેપર મીલ નવાગામ ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ઓમપ્રકાશ સિંહગોપાલ વર્મા (૨૨), અભી રામભરોસે વર્મા (૨૨), ઘનશ્યામ શિવકુમાર વર્મા (૨૨) અને નીતિન સિંહગોપાલ વર્મા (૨૦) ને સારવારમાં ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ખાખરાળા ગામનો મેહુલ રાજેશભાઈ સદાતીયા નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બેલા નજીક ખોખરા હનુમાન રોડ પાસે બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત મેહુલ સદાતીયાને પણ સારવારમાં લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના સરડવા ગામે સાંકડી શેરીમાં રહેતો ગૌરાંગભારતી મનસુખભારતી નામનો ૨૮ વર્ષેનો યુવાન મોરબીના માંડલ અને ઘુંટુ ગામની વચ્ચેથી બાઈકમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાતા ઇજાઓ થવાથી ગૌરાંગભારતીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તુફા આમદભાઈ ખુરેશી નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ શુભ હોટલ પાસે બાઇક થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થયા હતા સારવારમાં લઈ જવાયો હતો.

 






Latest News