મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં ચીમનીનું ગરમ પાણી ઉડતા દાઝી જવાથી ચાર વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીના સિરામિક યુનિટમાં ચીમનીનું ગરમ પાણી ઉડતા દાઝી જવાથી ચાર વર્ષની બાળકીનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડિયા વચ્ચે આવેલ કારખાનામાં કોલસાની ભઠ્ઠીમાંથી નિકળેલ ચીમનીના ગરમ પાણીમાં દાઝી જવાથી દાજી ગયેલ ચાર વર્ષની બાળકીને મોરબી અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જ્યાં ચાર વર્ષે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો અને રાજકોટ સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઈવે ઉપર લાલપર અને જાંબુડીયા વચ્ચે આવેલા ડેલ્ટા સીરામીકમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પ્રજ્ઞાબેન બન્નાભાઈ ઉર્ફે બન્નાભાઈ પંચકા જાતે બનસાર (ઉમર ૪) નામની બાળકી યુનિટમાં ચીમની પાસે રમતી હતી ત્યાં કોલસાની ભઠ્ઠી પાસે ગરમ પાણી ઢોળાયેલું હોય તેમાં દાઝી જતા પ્રજ્ઞાબેન નામની ચાર વર્ષની બાળકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યાંથી તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રજ્ઞા નામની બાળકીનું મોત નીપજ્યું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી નારણદાસ ચમનદાસ દેવનાણી નામના ૬૩ વર્ષના વૃદ્ધ બૈઇક લઇને મોરબીથી વાવડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં સમજુબા સ્કૂલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રામગઢ ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે અસર થવાથી પેટમાં દુખાવો ઉપડતા અને ચક્કર આવવા લાગતા શિવ જોરસિંગ દાવર નામના ૧૬ વર્ષીય તરુણને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની મુકેશ રમેશભાઈ ચારેલ નામનો ૩૮ વર્ષીય યુવાન મોરબીના લગધીરનગર પાસે પગપાળા જતા સમયે પડી જતા ઇજાઓ થવાથી તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે રીતે જ મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ ભરડીયામાં કામ સબબ પગપાળા જતા સમયે પડી જતા માથા અને છાતીના ભાગે ઇજાગ્રત થયેલા બાલેશ્વરભાઈ મહાતો નામના ૩૫ વર્ષના યુવાનને અહીંની.આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 






Latest News