મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોના જોરે આત્મવિશ્વાસ સાથે આજે ઉમેદવારી નોંધાવી


SHARE













મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોના જોરે આત્મવિશ્વાસ સાથે આજે ઉમેદવારી નોંધાવી

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર સત્તાવાર ઉમેદવાર તરીકે ગઈકાલે સાંજે કોંગ્રેસે જયંતીભાઈ જેરાજભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું  કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે આજે તેમને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જોકે મોરબી શહેરના રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી તેઓ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે રવાના થયા ત્યારે પહેલા ઝુલતાપુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ જઈને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું અને ત્યારબાદ જયંતીભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ખાસ કરીને સરકારે છેલ્લા 25 વર્ષમાં જે કામ નથી કર્યા તે મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જશે આટલું જ નહીં પાલિકાનો ગેર વહીવટ અને છેલ્લે બનેલ ઝુલતા પુલની દુર્ઘટનામાં સરકાર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે અધિકારીઓને પદાધિકારીઓની બેદરકારી સામે આખા કામ કરવામાં આવેલ છે આ તમામ મુદ્દાઓને લોકો સમક્ષ સુધારા કરવામાં આવશે તેમજ મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને ગરીબ વર્ગ હાલમાં હેરાન પરેશાન છે ત્યારે મતદારો તરફથી પણ આ વખતે ગત ચૂંટણીની જેમ કોંગ્રેસને ફરી અહીંથી વિજય બનાવવા માટેનો સંકલ્પ કરી લેવામાં આવ્યો છે જેથી કરીને પૂરા આત્મવિશ્વાસ સાથે મતદારોના જોરે તેઓએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનો ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને હવે તેના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે

 






Latest News