મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા માં અખાડા કરતા શખ્સની એક વર્ષની કેદ ૧૫ લાખ ચૂકવવા હુકમ


SHARE











મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા માં અખાડા કરતા શખ્સની એક વર્ષની કેદ ૧૫ લાખ ચૂકવવા હુકમ

મોરબી તાલુકામાં રૂ. ૧૦ લાખ જેટલી માતબર રકમ લઈને તેના બદલમાં ચેક આપનાર શખ્સનો ચેક રિટર્ન થતા કોર્ટે એક વર્ષની કેદ અને ફરિયાદીને રૂ.૧૫ લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો.

અશ્વીનસિંહ દોલુભા ઝાલા પાસેથી હરેશભાઈ કુંવરજીભાઈ ડાભીએ નાણાકીય જરૂરીયાત હોવાનું કહીને સમયાંતરે રૂ.૧૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જે બાદ હરેશભાઈએ અશ્વીનસિંહ સાથે સમજુતી કરી હાથ ઉછીના રકમ આપ્યાનો નોટરી કરાર રૂબરૂમાં કર્યો હતો અને રકમ પરત ચુકવવાની બાહેંધરી આપીને તેમની બેંકનો ચેક અશ્વીનસિંહને આપ્યો હતો. તથા એવું વચન પણ આપ્યું હતું કે આ ચેક બેંકમાં વટાવવાથી અશ્વીનસિંહને તેમની રકમ મળી જશે.જેથી અશ્વીનસિંહએ આ ચેક તેમની બેંકમાં જમાં કરતાં ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જેથી અશ્વીનસિંહએ તેમના વકીલ જીતેન એલ. દેગામા મારફત હરેશભાઈને લીગલ ડીમાન્ડ નોટીસ મોકલી હતી. નોટીસ મળી હોવા છતાં હરેશભાઈએ રકમ પરત ન કરતાં અને નોટીસનો કોઈ પ્રત્યુતર ન આપતા અશ્વિનસિંહે મોરબી કોર્ટમાં વકીલ જે.ડી.સોલંકી મારફત તા.૧૯-૫-૨૨ ના રોજ વટાઉખત અધીનીયમ(નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ) હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.જેણે પગલે કોર્ટ દ્વાર સમન્સ ઈસ્યુ કરતા હરેશભાઈએ કોર્ટમાં તેમના વકીલ મારફત હાજર થઈ કેસ ચલાવ્યો હતો.જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો આપ્યો હતો કે, હરેશભાઈએ હાથ ઉછીની રકમ ન ચુકવવા બદલ ૧૨ માસની સાદી કેદ અને ૧૫ લાખ રૂપીયા અશ્વીનસિંહને વળતર પેટે ચુકવવા ફરમાવેલ છે.ફરીયાદી અશ્વીનસિંહ તરફેથી અહિંના એડવોકેટ જે.ડી. સોલંકી તથા જીતેન એલ.દેગામા રોકાયેલ હતા.






Latest News