મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દેથરીયાનું ફોમ ગ્રાહ્ય રાખતા આરઓ : કોંગ્રેસના ઉમેદવાર કગથરાએ લીધેલ વાંધો રદ


SHARE











ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દેથરીયાનું ફોમ ગ્રાહ્ય રાખતા આરઓ : કોંગ્રેસના ઉમેદવાર કગથરાએ લીધેલ વાંધો રદ

મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવારના ફોર્મનો વિવાદ થયો હતો અને ટંકારા પડધરીના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરાએ ભાજપના ઉમેદવારના ફોર્મ સામે વાંધો લીધો હતો અને ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મ સામે વાંધો લઇને રદ કરવા માંગ કરી હતી જેની સાથે ભાજપના લીગલ સેલના મનોજ અનડકટ દ્વારા જે લેખિત જવાબ આપવામાં આવ્યો હતો તેને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે અને ભાજપના ઉમેદવારે ફોર્મમાં ભરવાની ડીટેલમાં નોટ એપ્લીકેબલ અથવા લાગુ પડતું નથી તેવું લખેલ ન હોય તે વાંધો રદ કરેલ છે અને હાલમાં આરઓ દ્વારા ભાજપના ઉમેદવારનું ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારે લીધેલ વાંધો રદ કરેલ છે.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા કરવામાં આવેલી વળતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જો ફોર્મમાં લાગુ પડતું નથી કે નોટ એપ્લીકેબલ એવું લખ્યું ન હોય અને ડેસ કે લીટો કર્યો હોય તો ફોમમાં ચોક્કસ ભૂલ હોઈ શકે પરંતુ ફોર્મમાં આવી કોઈ ભૂલ છે જ નહીં માત્ર એફિડેવિટમાં આ પ્રકારની ભૂલ હોય તે ભૂલ સુધારીને નવું એફીડેવિટ રજૂ કરી દેવામાં આવશે જે બાબતને ચૂંટણી અધિકારી દ્વારા ગ્રાહ્ય રાખીને ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે અને કોંગ્રેસના લલીતભાઈ કગથરા દ્વારા કરવામાં આવેલા વાંધાને રદ કરવામાં આવેલ છે.






Latest News