મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર: કોંગ્રેસમાંથી હેમંગભાઈ રાવલ, પાલિકાના બે સભ્યો સહિત ૨૦૦ કાર્યકરોએ કેસરિયા કર્યા


SHARE











ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર: કોંગ્રેસમાંથી હેમંગભાઈ રાવલ, પાલિકાના બે સભ્યો સહિત ૨૦૦ કાર્યકરોએ કેસરિયા કર્યા

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક ઉપર હાલમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો જનસંપર્ક ચાલી રહયો છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે દરમ્યાન કોંગ્રેસને મોટો જટકો ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે અને આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન, પાલિકના બે સભ્યો સહિતના હાલમાં ભાજપમાં જોડાયેલ છે અને હજુ આગમી દિવસોમાં હળવદમાં કોંગ્રેસને મોટો ફટકો લાગશે તેવા સંકેત હાલમાં મળી રહ્યા છે જેથી કરીને પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર ધાંગધ્રા-હળવદ બેઠકમાં કોંગ્રેસ ઉપર ફરી વળશે તે નિશ્ચિત છે

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી રહ્યા છે ત્યારે ગામે ગામ મતદારો તરફથી તેમને આવકાર મળી રહ્યો છે અને વડીલો, સંતો મહંતો તરફથી પ્રકાશભાઈ વરમોરાને વિજય તિલક કરવામાં આવી રહ્યા છે

તેવામાં આજે હળવદ ખાતે ભાજપના સિનિયર આગેવાનોની હાજરીમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન હેમંગભાઈ રાવલ, તેમજ હળવદ પાલિકાના ચૂંટાયેલા બે સદસ્ય વાસુભાઈ પટેલ અને દેવુભાઈ ભરવાડ, માલધારી સેલના પૂર્વ પ્રમુખ વેલાભાઇ ભરવાડ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને પૂર્વ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાના હસ્તે ભાજપનો કેસ ધારણ કરીને કેસરિયા કરેલ છે.

ત્યારે હેમંગભાઈ રાવલે જણાવ્યુ હતું કે, ભાજપના વિકાસના કામો તેમજ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ જોઈને તેઓએ કોઈપણ પ્રકારના લોભ, લાલચ, આશા કે અપેક્ષા વગર ભાજપના જોડાઈને કેસરિયા કરેલ છે અને આગમી દિવસો હજુ પણ હળવદ તાલુકામાં કોંગ્રેસને વધુ મોટો ફટકો લાગશે તેવા સંકેત આપી દીધેલ છે આ તકે આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, બીપીનભાઈ દવે, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News