મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેનો ભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જોકે ફરજ ઉપરના ડોક્ટરે ઝેરી દવા પી ગયેલા યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ થઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા (ઉંમર ૩૮) પોતાની વાડે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેનો ભાઈ સુરેશભાઈ કરમશીભાઈ ફાંગલિયા રહે. પીપળીયારાજ વાળો તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને રાજુભાઈ ફાગલીયાને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક છરી વડે કરવામાં આવેલ હુમલામાં જીગ્નેશ અમરાભાઇ અને જયેશ અમરાભાઇ નામના બે યુવાનોને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના મોટા દહીંસરા ગામના કમળાબેન રમેશભાઈ પાંચિયા નામની ૪૫ વર્ષીય મહિલાને વિશાલ ફર્નિચર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અક્ષયગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના ૨૬ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામ પાસે કારમાં બેઠા બેઠા કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News