મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન


SHARE







રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન

રાજકોટ ગુરુકુલને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડીસેમ્બરમાં ઉજવાનાર મૂલ્ય સભર અમૃત મહોત્સવના ઉપલક્ષમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અમૃત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

જેમાં વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પ્રગલ્ભ મહાપુરુષ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીમહંત સ્વામીનારાયણપ્રસાદ સ્વામી તથા ૩૫ જેટલાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો આવ્યા હતા જેના દર્શન અને આશીર્વચનનો હારી ભક્તોએ લાભ લીધો હતો અને રાજકોટના અમૃત મહોત્સવનું આમંત્રણ સ્વામિ દ્વારા હારી ભક્તોને આપવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકો દ્વારા ભક્તિનૃત્યો તથા યુવાનો દ્વારા પારિવારિક મૂલ્યોને પોષિત કરતું રૂપક પ્રસ્તુત કર્યું હતું. સાથે સાથે ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ૧૫ મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગાન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદબાઈ વરમોરામગનભાઈ ભોરણીયાવલ્લભભાઈ ગાંભવાવિનુભાઈ ભોરણીયાઅરુણભાઈ કાલરીયા સહિત ૧૪૦૦ ઠી વધુ ભાવિકો હાજર રહ્યા હતા અને સંતોના દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો






Latest News