મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ


SHARE













૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ

ટંકારા કન્યા પ્રાથમિક શાળામાં ચાલી રહેલ યોગ વર્ગની મુલાકતે મહિલા પતંજલી રાજ્ય પ્રભારી તનુજા આર્યજી (પતંજલિ યોગ સમિતિ ગુજરાત, દક્ષિણ) આવ્યા હતા અને.આગામી તા.૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિરનું આમંત્રણ પાઠવ્યુ હતુ.આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લીધેલ યોગ ટ્રેનેરો તથા યોગ સાધકો અને યોગપ્રેમીઓ જોડાઇ તેવી અપીલ તેઓએ કરી હતી.આ શિબિર અંતર્ગત તનુજા આર્ય દ્વારા લોકોને યોગ જીવનમાં કેટલો જરૂરી છે.આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ શા માટે કરવાં જોઈએ, યોગના ફાયદા, યોગ રોગથી ઉપર ઉઠીને પરમાત્માને પામવા માટેનો રસ્તો છે વિગેરે બાબતો વિશે લોકોને સચોટ જ્ઞાન આપેલ અને ભારતને રોગ મુકત તથા ફરી વિશ્વગુરુ બનાવવામાં સૌને યોગદાન આપવા આહવાન કર્યુ હતુ. ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજીના સ્વાબ્દિક યોગથી લોકોમાં નવી ઉર્જાના સ્ત્રોત ઉભરાયો અને લોકો રોજ યોગ કરશે અને કરાવશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.તનુજાબેન આર્યના સાનિધ્યમાં પતંજલિ મહિલા ટંકારા તહસિલના કાર્યકર્તા તરીકે પદ આપીને બહેનોને યોગકાર્યને આગળ વેગ આપવા માટે પદનિયુક્તિ કરવામાં આવેલ જેમા ટંકારા તાલુકાના પ્રભારી યોગ કોચ તરીકે કંચન સારેસાની, મહામંત્રી પદે ડિમ્પલ સારસા અને ફાલ્ગુની વાઘેલાની, સંગઠન મંત્રી તરીકે જિન્નતબેન સમા અને કોષાધ્યક્ષ પદે મનાલી પરમારની વરણીઓ કરવામાં આવી હતી.






Latest News