મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો


SHARE











મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો

માળીયા(મીં) પોલીસને તા ૨૩-૧૨-૨૦૧૯ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીન ઘર આ કામના આરોપી કાદરભાઈ હબીબભાઈ જેડાના ઘર પાસે બાજમાં હોય અને ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમાં બેસતા હોય જે આ કામના આરોપીઓને સારુ નહી લાગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી છરી જેવા તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદી મામલતદાર કચેરી પાસે તેના મોટરસાઈકલ પર જતા હોય જેને રોકી ફરીયાદીને ગાળો આપી મારી નાખવાના ઈરાદે પાંચેય આરોપીઓએ છરીના ઘા મારી ફરીયાદીને માથામાં તથા વાંસાના ભાગે તથા ડાબા ખંભાના ભાગે છરીના ઘા મારી ફરીયાદીને ગંભીર અને જીવલેણ ઈજા કરી ફરીયાદીન મોત નીપજાવવાની કોશીષ કરવા બાબતનો ગનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ કાદરભાઈ હબીબભાઈ જેડા, સભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકીરભાઈ હબીબભાઈ, રફીક હાજીભાઈ મોવરનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭ વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડો. મોરસીયા તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, એડવોકેટ, જીતેન ડી.અગેચાણીયા, જે. ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News