મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ


SHARE











મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલા ઉપર છરી, પાઇપ અને છુટા ટાઇલ્સના ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદમાં ખુલ્યું હતું કે, માતાના મકાન વેચાણના પૈસા બાબતે મહિલા ઉપર તેની જ માતા, બેન-બનેવી અને બે ભાણેજ દ્રારા હુમલો કરવામાં આવેલ છે. જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીશીપરાની રહેવાસી નિલમબેન અનિલભાઈ બીજલભાઇ જાદવ (ઉમર ૩૨) કે જેના લગ્ન અમદાવાદ ખાતે થયેલા હોય હાલ તે પતિ સાથે અમદાવાદ એલિસબ્રિજ આંબેડકર કોલોની વિસ્તારમાં નારાયણ માલાની ચાલીમાં રહે છે તેણી મોરબી આવી હતી અને અહીં તેની માતા સવિતાબેનનું મકાન વેચાયું હોય તેના મકાનના પૈસાના ભાગ બાબતે માતા સવિતાબેન તેમજ બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ તેમજ અમદાવાદ રહેતા બે ભાણેજ સુનીલ અને જીગ્નેશ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને પાંચેયએ એકસંપ કરીને નિલમબેનને મૂઢમાર માર્યો હતો તેમજ છરી અને પાઇપ વડે ઇજાઓ પહોંચાડીને છુટા ટાઇલ્સના ઘા કરવામાં આવ્યા હતા.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા નીલમબેન જાદવને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા

ત્યાર બાદમાં ભોગ બનેલ નિલમબેન જાદવ દ્વારા બહેનના દિકરા એટલે કે, સુનિલ અનિલ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ અને માતા સવિતાબેન અનિલ જાદવ રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, માતા સવિતાબેનના મકાન વેચાણના પૈસા બાબતે મનદુ:ખ રાખીને ભાણેજ સુનિલ અને જિગ્નેશે છરી અને પાઇપ વડે પોતાને માર માર્યો હતો જ્યારે માતા સવિતાબેન અને બહેન જ્યોતિબેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બનેવી જગદીશભાઈ દ્વારા છુટા ટાઇલ્સના ઘા કરીને ઇજાઓ કરી હતી આ ગુનામાં પોલીસે સુનિલ અનિલ જાદવ (૨૪), જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ (૨૨) અને માતા સવિતાબેન અનિલ જાદવ (૫૮) રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા (૩૫) અને બનેવી જગદીશ બળવંત દાફડા (૪૨) રહે. બંને મોટા મોવા રાજકોટની ધરપકડ કરવામાં આવી છે






Latest News