મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ
મોરબીના લાલપર પાસેથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજુર
SHARE
મોરબીના લાલપર પાસેથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજુર
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી અને મકાનમાંથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૭૬૭૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલને કબજે કરીને ત્રણ આરોપીને પકડાયા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીના લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબરના ફ્લેટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૧૫૫૦૦ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ૭૬,૭૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે અમિત શ્રીશિશુ તિવારી જાતે પંડિત (૨૨) રહે. જાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી કોમન પ્લોટની સામે સુમિત પાઠકની બાજુમાં મૂળ રહે બિહાર, વિનોદરાય મનોજરાય યાદવ જાતે આહિર (૨૦) અને વિવેક વશિષ્ઠ નારાયણ મિશ્રા જાતે બ્રાહ્મણ (૨૨) રહે, હાલ બંને લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબર ફ્લેટ મૂળ બિહાર વાળાની ધરપકડ કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ આરોપીઓને પોલીસે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા અને કોર્ટે આરોપીના ૮ દિવસ એટ્લે કે તા ૭/૧૨ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવું પીએસઆઈ આર.એન. ભટ્ટએ જણાવ્યુ છે