મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ


SHARE











મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ

મોરબીમાં એક મહિના પહેલા ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની પ્રથમ વરસીએ ઘરના સભ્યોને ગુમાવનાર અસરગ્રસ્તો પરિવારજનોએ આક્રોશ સાથે સામાજિક કાર્યકરો સહિતના લોકોની હાજરીમાં મૌન રેલી યોજી હતી અને આગમી ૧૧ મી તારીખે હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વરિયાનગર, બોદ્ધનગરમાં રહેતા બાળકો સહિત કુલ ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે જેથી કરીને આ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશ પંડ્યા સહિતના આગેવાનો તેમજ પરિવારના સભ્યોને ગુમાવનારા પરિવારોના લોકોએ મોરબીમાં મૌન રેલી યોજી હતી અને ન્યાય માટે દુર્ઘટનાની જગ્યાએ આગમી તારીખ ૧૧ ના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ કાર્યવાહી નહિ થાય તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News