મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ
મોરબીમાં એક મહિના પહેલા ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની પ્રથમ વરસીએ ઘરના સભ્યોને ગુમાવનાર અસરગ્રસ્તો પરિવારજનોએ આક્રોશ સાથે સામાજિક કાર્યકરો સહિતના લોકોની હાજરીમાં મૌન રેલી યોજી હતી અને આગમી ૧૧ મી તારીખે હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વરિયાનગર, બોદ્ધનગરમાં રહેતા બાળકો સહિત કુલ ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે જેથી કરીને આ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશ પંડ્યા સહિતના આગેવાનો તેમજ પરિવારના સભ્યોને ગુમાવનારા પરિવારોના લોકોએ મોરબીમાં મૌન રેલી યોજી હતી અને ન્યાય માટે દુર્ઘટનાની જગ્યાએ આગમી તારીખ ૧૧ ના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ કાર્યવાહી નહિ થાય તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે