મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો પર આજે વહેલી સવારથી જ મતદાન શરૂ: મતદારોમાં ભારે ઉત્સાહ


SHARE









મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો પર આજે વહેલી સવારથી જ મતદાન શરૂ: મતદારોમાં ભારે ઉત્સાહ

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો મોરબી માળિયા ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા માટે આજે સવારે 8:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં આવેલા 906 જેટલા મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે થઈને લાઈનો લગાવી હતી અને ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દરમિયાન મતદારોનો ઉત્સાહ વધારતા રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો દ્વારા તેમજ આગેવાનો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું અને આજે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ તેના પરિવારજનો સાથે પહોંચીને મતદાન કર્યું હતું તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં તેના પરિવારજનો સાથે જઈને મતદાન કર્યું હતું અને ઉમેદવારો દ્વારા પોતાના જીતના દાવા કરવામાં આવ્યા છે આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા એ પણ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ જયંતીભાઈ કવાડિયા અને મોહનભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લાની ત્રણ તેમજ લાગુ પડતી અન્ય બે આમ કુલ મળીને પાંચે પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં પરંતુ જંગી બહુમતી સાથે ગુજરાતની અંદર ભાજપની સરકાર બનશે તેઓ પણ આત્મવિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો






Latest News