ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના એટ્રોસીટી અને મારામારીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











વાંકાનેરના એટ્રોસીટી અને મારામારીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ હતા જેનો ખાર રાખીને યુવતીના ભાઈઓએ યુવાનના પિતાને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે

વાંકાનેર સિટીમાં એટ્રોસીટી અને મારામારીના કેસ નોંધાયો હતો અને તે કેસમાં આરોપી સંજય વરસીંગ કોળી અને મુકેશ શામત કોળી રહે બન્ને કેરાળા તાલુકો વાંકાનેર વાળાઓએ તા.૩/૫/૨૦૧૪ ના રોજ ફરીયાદી રમેશ ચતુરભાઇ અંબાલીયાને તેના પુત્રે આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કરી લીધેલ હતા જેનો ખાર રાખી ફરીયાદીને લાકડી તથા લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા જેની ફરીયાદ રમેશભાઇ ચતુરભાઇ આંબલીયાએ વાંકાનેર સીટી પોલીસમાં કરેલ હતી અને આ કેસ મોરબીની જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના સીનીયર વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફ વકિલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News