ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી  બરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું


SHARE











માળિયા (મી)ના મોટી  બરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા અનેક સેવાકીય કામ કરવામાં આવે છે તેવી જ રીતે માળિયા તાલુકાના મોટી  બરાર મુકામે આવેલી મોડેલ સ્કુલમાં અભ્યાસ કરતા ૨૨૪ વિદ્યાર્થીઓ માટે  ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું હતું આ તકે દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરવામાં આવેલ છે. અને તમામ દાતાઓનો  શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા રાહતદરે દવાખાનું, દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો, દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ પોતાના વક્તવ્યમાં તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બી.એન. વિડજાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News