મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત

મોરબીની સિવિલમાં પૂરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓને સારી સારવાર આપવામાં આવતી નથી અને તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ છે તો પણ દર્દીઓને રાજકોટ રીફર કરી દેવામાં આવેલ છે જેથી કરીને દર્દીઓને હેરાન થવું પડે છે જેથી કરીને યોગી કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરેલ છે

મોરબી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ હોવા છતાં સામાન્ય બીમારીમાં પણ દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને દર્દીઓને મોરબીમાં જ સારી સારવાર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી સિવિલમાં ત્રણ મહિનાથી પૂરતા તબીબો હોવા છતાં દર્દીઓને રાજકોટ મોકલી આપવામાં આવે છે જેથી તેને ચેક કરવામાં આવે અને ખાસ કરીને ૨૪ કલાક એક્સરે વિભાગ ચાલુ રહે અને ઓર્થોપેડિક તેમજ ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ડોક્ટર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે 






Latest News