વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત

મોરબીની સિવિલમાં પૂરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓને સારી સારવાર આપવામાં આવતી નથી અને તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ છે તો પણ દર્દીઓને રાજકોટ રીફર કરી દેવામાં આવેલ છે જેથી કરીને દર્દીઓને હેરાન થવું પડે છે જેથી કરીને યોગી કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરેલ છે

મોરબી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ હોવા છતાં સામાન્ય બીમારીમાં પણ દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને દર્દીઓને મોરબીમાં જ સારી સારવાર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી સિવિલમાં ત્રણ મહિનાથી પૂરતા તબીબો હોવા છતાં દર્દીઓને રાજકોટ મોકલી આપવામાં આવે છે જેથી તેને ચેક કરવામાં આવે અને ખાસ કરીને ૨૪ કલાક એક્સરે વિભાગ ચાલુ રહે અને ઓર્થોપેડિક તેમજ ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ડોક્ટર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે 






Latest News