વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની સ્પર્શ સ્કીન ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE













મોરબીની સ્પર્શ સ્કીન ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબી શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું આજથી સાત વર્ષ પહેલા ડો.જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમાં સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા સાતમી વર્ષગાંઠ નિમિતે દર્દીની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે પ્રદાન કરવી, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું, દર્દીની સારવાર દરમિયાન શું કાળજી રાખવી?

સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને પર્સનલ ડેવલપમેન્ટ અંતર્ગત શરીરના હાવ-ભાવ, અવાજ, બોલવાની સ્પીડ અને દર્દીને સમજી શકાય એવી ભાષામાં કઈ રીતે વાત કરવીએ વિષય ઉપર રાજકોટના ૧૪ વર્ષના અનુભવી એવા પબ્લિક સ્પીકર વિરલ ગોહેલનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના ડાયરેક્ટર ડીઆરડીએ અને આસીસ્ટન્ટ કલેક્ટર નવલદાન ગઢવી અને મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.હેમાબેન પટેલ, સેક્રેટરી ડૉ.કૃષ્ણ ચગ, ડો. અલ્કેશ પટેલ તેમજ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો.મનીષભાઈ સનારિયા પણ હજાર રહયા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ -અલગ એવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતા. આ તકે ડો. જયેશ સનારીયા તથા ડો. શિતલ સનારીયા દ્વારા લોકોએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી






Latest News