મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં


SHARE













મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડી પાસે રહેતા યુવાને તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો જોકે તેનો ભાઈ જોઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડીની બાજુમાં રહેતો અજય ગોરધનભાઈ તરવાડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ ગયો હતો તે દરમિયાન તેનો નાનો ભાઈ જોઈ જતા તેણે અજયને નીચે ઉતારીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ અજયભાઈ બેભાન હાલતમાં વેન્ટિલેટર ઉપર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વ્યાજના વીસ ચક્રમાં દવા પી જતા સારવારમાં

મૂળ પોરબંદરનો અને હાલ મોરબીના સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો ભૂપેન્દ્ર લાલજીભાઈ પુરાણી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ ઓફિસ નજીક કોઈ લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી હતી તેઓ પાસેથી મળતી વિગત અને યુવાનના સંબંધીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેને જરૂર પડી હોય પૈસા વ્યાજે લીધા હતા અને તેના વ્યાજના ચક્રમાં હાલ સામેવાળા દ્વારા દબાણ કરવામાં આવતું હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકચ પગલુ ભર્યું હતું અને હાલ તેને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News