મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં


SHARE







મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડી પાસે રહેતા યુવાને તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો જોકે તેનો ભાઈ જોઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડીની બાજુમાં રહેતો અજય ગોરધનભાઈ તરવાડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ ગયો હતો તે દરમિયાન તેનો નાનો ભાઈ જોઈ જતા તેણે અજયને નીચે ઉતારીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ અજયભાઈ બેભાન હાલતમાં વેન્ટિલેટર ઉપર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વ્યાજના વીસ ચક્રમાં દવા પી જતા સારવારમાં

મૂળ પોરબંદરનો અને હાલ મોરબીના સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો ભૂપેન્દ્ર લાલજીભાઈ પુરાણી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ ઓફિસ નજીક કોઈ લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી હતી તેઓ પાસેથી મળતી વિગત અને યુવાનના સંબંધીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેને જરૂર પડી હોય પૈસા વ્યાજે લીધા હતા અને તેના વ્યાજના ચક્રમાં હાલ સામેવાળા દ્વારા દબાણ કરવામાં આવતું હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકચ પગલુ ભર્યું હતું અને હાલ તેને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News