મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા


SHARE







મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બને તે માટે થઈને ભાજપના ટેકેદારોને સમર્થકો દ્વારા માનતા રાખવામાં આવી હતી અને આજે વાંકાનેર તાલુકામાં આવતા ખોડીયાર મંદિર ખાતે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા તેની માનતા પૂરી કરવામાં આવી હતી ત્યારે ભાજપના વિજેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી ત્યાં હાજર રહ્યા હતા અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા માટેની ચૂંટાયેલા ધારાસભ્યોએ ખાતરી આપી હતી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય પૈકીની બે બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તે માટે થઈને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે જોકે ભાજપ દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈ સોમાણી ની ટિકિટ ફાઇનલ કરવામાં આવી ત્યારે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા આ બંને લડાયક નેતાનો વિજય થાય તે માટે થઈને માનતાઓ રાખવામાં આવી હતી અને આવી જ રીતે મોરબીમાં નવા ડેલા મિત્ર મંડળના ચંદ્રેશભાઇ અને ડો. દિલીપભાઈ દ્વારા માટેલ ખોડીયાર મંદિરે 52 ગજની ધજા ચઢાવવાની માનતા રાખી હતી જે આજરોજ વાંકનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર મંદિર ખાતે પૂરી કરવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણી બંને ત્યાં હાજર રહ્યા હતા જોકે દુર્લભજીભાઇ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા ને પણ ત્યાં હાજર રહેવા માટે થઈને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અન્ય કાર્યક્રમ માટે વ્યસ્ત હોવાના કારણે તે ત્યાં આવી શક્યા ન હતા પરંતુ તમામ ધારાસભ્ય વતી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના લોકોની સુખ સુવિધામાં વધારો થાય અને સરકારની તમામ યોજનાઓનો લાભ મોરબી જિલ્લાના લોકોને મળે તે પ્રકારની કામગીરી મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે






Latest News