મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન


SHARE













મોરબીમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા તા ૧૯ થી શરૂ થવાની છે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કથા ચાલુ રહેશે અને સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીમાં આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા ભાવિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા તા ૧૯ થી શરૂ થશે તા ૧૯ ના રોજ સાંજે ૭ વાગ્યે પોથી યાત્રા યોજાશે. તા ૨૪ રાતે અન્નકૂટ ઉત્સવ યોજાશે અને ત્યાર બાદ હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે હનુમાનજીને ૫૧ કિલોની કેક ધરવામાં આવશે. અને ૧૦૮ કિલો પુષ્પવર્ષા કરવામાં આવશે તા ૨૫ ના રાતે ૧૧:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. અને હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ ટીવીમાં બતાવવામાં આવશે તેવું આયોજકો વતી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઇ બારૈયાએ જણાવ્યુ છે






Latest News