મોરબીમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન
મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે
SHARE
મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે
મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુશ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત એક મીટીંગનું આયોજન આગામી તા. ૨૫ ના રોજ કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧૪-૧ ના રોજ જગતગુરુશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મજયંતીની ઉજવણીના આયોજન અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે.
ચોપડા વિતરણ
મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ દ્વારા જે પણ બાળકોના પિતા ઇન્ડિયન આર્મીમાં હોય તેવા બાળકોને લખવાના ચોપડાનું (ધોરણ મુજબ) વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો જેમના પણ ધ્યાનમાં આવું કુંટુંબ હોય તે વ્યક્તિએ અથવા તો તે કુંટુંબે માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે.અત્યાર સુધીમાં આ સડસ્થા દ્વારા આવા ૩૫ થી પણ વધારે કુટુંબના બાળકોને ચોપડાનું વિતરણ કરેલ છે અને હજુ પણ આ વિતરણ વિનય કરાટે એકેડમી, અવની ચોકડી પાસે ચાલુ જ છે.વધુ માહીતી માટે મોબાઇલ નંબર ૮૭૫૮૨ ૩૫૬૦૫ અથવા ૭૬૦૦૩ ૨૬૮૮૧ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.