મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે
વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું
SHARE
વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું
જીએસઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ દ્રારા અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગાયત્રી મંદીર કરવામાં આવ્યું હતું તેમાં ૩૫ કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાકાનેર તાલુકાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, અશ્વિનગીરીબાપુએ હાજરી આપી હતી. તેમાં ચોથા વિભાગમાં ગુંદાખડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય એચ. અને ગોધાણી વિશાલ ડી. તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમારની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામતા મોરબી આગામી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.