મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું

ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત) દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહ મિલન મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રાખવામા આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવા કાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી. રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તો મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે અને સેવા સંસ્થા સ્નેહ મિલનના આ કાર્યક્રમને કનકેશ્વરી દેવીજીએ બિરદાવ્યો હતો. આ તકે અલગ અલગ સેવા સંસ્થાના કાર્યકરોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયામોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા






Latest News